Tuesday, 3 October 2017

Blog No Baap

પાયા ખોદ્યા વિના બનાવાયું આ ૧૩ માળ ઊંચું બૃહદેશ્વર મંદિર, આધુનિક આર્કિટેક ટેકનોલોજી પણ નતમસ્તક


બ્રુહ્દેસ્વર મંદિર તમીલનાડુના તંજાવુર જીલ્લા માં આવેલ પ્રસિદ્ધ હિંદુ મદિર છે, તેનું નિર્માણ ૧૦૦૩-૧૦૧૦ ઈ.સ. ની વચ્ચે ચોલ શાસન રાજારાજ ચોલ ૧ એ કરાવ્યું હતું. ઉચાઇ લગભગ ૬૬ મીટર છે. મંદિર ભગવાન શિવની આરાધના ને સમર્પિત છે.

સૌથી નીચે જોઈ શકો છો હિસ્ટ્રી ચેનલ ની ડોક્યુંમેન્ટરી દ્વારા બધું જ સત્ય બતાવતો વિડીયો

આ કલાની દરેક શાખા – વાસ્તુકલા,પાષણ કે તામ્રમાં શીલ્પાંકન,પ્રતિમા વિજ્ઞાન,ચિત્રાંકન,નૃત્ય,સંગીત,આભુષણ એટલે કે ઉત્કીર્ણકલા નું ભંડાર છે. આ મંદિર ઉત્કીર્ણ સંસ્કૃત કે તમિલ પુરાલેખ સુલેખો નું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ છે.


આ મંદિરની નિર્માણ કલાની એક વિશેષતા તે છે કે તેના શિખર નો પડછાયો ધરતી ઉપર નથી પડતો. શિખર ઉપર સ્વર્ણકળશ સ્થિત છે. જે પાષાણ ઉપર આ કળશ સ્થિત છે તે અનુમાનથી તેનું વજન ૨૨૦૦ મણ (૮૦ ટન) છે અને આ એક પાષાણ થી બન્યું છે. મંદિરમાં સ્થાપિત વિશાળ,ભવ્ય શિવલિંગ ને જોતા જ તેનું બ્રુહ્દેશ્વર નામ બધી રીતે યોગ્ય હોય તેમ લાગે છે.

મંદિરમાં પ્રવેશ કરવાથી ગોપુરમ ની અંદર એક ચોકોર મંડપ છે. ત્યાં ચબુતરા ઉપર નંદીજી બિરાજમાન છે. નંદીજીની આ મૂર્તિ ૬ મીટર લાંબી,૨.૬ મીટર પહોળી તથા ૩.૭ મીટર ઉંચી છે. ભારત વર્ષમાં એક જ પથ્થર થી નિર્મિત નંદીજી ની આ બીજી સર્વાધિક મોટી મૂર્તિ છે.


તંજાવુર કે તાંજોર તરીકે જાણીતું ભારતના તમિલ નાડુ નો આ જીલ્લો છે જેની જનસંખ્યા 221,190 (2001 જનગણના પ્રમાણે) છે.

તંજાવુર નામ હિંદુ પૌરાણિક કથાના પ્રસિદ્ધ અસુર “તંજાન” પરથી આવ્યું છે. તંજાવુર ભારતના સૌથી જૂના શહેરોમાંથી એક છે, અને તેના ઇતિહાસ એટલો વિસ્તૃત અને વિવિધતા સભર છે કે તેની તારીખો આપણને સંગમ સમય સુધી લઇ જાય છે. જ્યારે તે ચોલા રાજ્યની રાજધાની બની ત્યારે ઉત્તરકાલીન ચોલા વંશના શાસનથી આ શહેરની પ્રખ્યાતિમાં વધારો થયો.

ચોલાઓના પતન બાદ, આ શહેર પંડ્યા, વિજયનગર સામ્રારાજ્ય, મધુરાઇ નાયકો, તંજાવુર નાયકો, તંજાવુર મરાઠાઓ અને બ્રિટિશ લોકો દ્વારા શાસિત કરવામાં આવ્યા. ત્યારબાદ તંજાવુર 1947 થી સ્વતંત્ર ભારતનો તે એક ભાગ છે.

તંજાવુર દક્ષિણ ભારતીય કળા અને સ્થાપત્યનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મોટાભાગના મહાન ચોલા મંદિરો, યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટમાં (વિશ્વ સંસ્કૃતિક વારસા સમાન સ્મારક) આવેલા છે. મહાન ચોલા મંદિરોમાંથી પહેલું તેવું બૃહદેશ્વર મંદિર શહેરના મધ્યમાં જ આવેલું છે. તંજાવુર તંજોરના ચિત્રકળાનું પણ ઘર છે, આ ચિત્રકળાની શૈલી આ પ્રદેશની અનોખી શૈલી છે.

આ શહેર કૃષિ કેન્દ્ર તરીકે પણ મહત્વપૂર્ણ છે, તેને તમિલ નાડુનો ડાંગરનો વાટકા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની પરંપરાગત સંસ્કૃતિક વારસાનો પ્રચાર અને જાણવણી માટે ભારતીય સરકાર દ્વારા અનેક પ્રાદેશિક સંસ્કૃતિક કેન્દ્રોનો સ્વીકૃત કરવામાં આવ્યા જેમાં દક્ષિણ ક્ષેત્ર સંસ્કૃતિક કેન્દ્રમાં તંજાવુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


તમિલ નાડુમાં શહેરો અને નગરોની સાથે ભારતના અન્ય ભાગોને તંજાવુરથી રસ્તા અને રેલ્વે માર્ગો દ્વારા સુવ્યવસ્થિત રીતે જોડવામાં આવ્યા છે. તંજાવુરથી સૌથી નજીકનું સમુદ્ર સ્થળ નાગપટ્ટિનમ છે જે તેનાથી 84 કિલોમીટરના અંતરે આવેલું છે તથા સૌથી નજીકનું હવાઇ મથક તિરુચિરાપલ્લીમાં આવેલું છે, જે તંજાવુરથી 56 કિલોમીટરના અંતરે છે.

આ શહેર ઐતિહાસિક ચોલાઓનો ગઢ હતો, અને ત્યારે તે ચોલાઓ, મુથરાયરો અને મરાઠાઓ જ્યારે તેમની સત્તાની ટોચ પર હતા ત્યારે તેમની રાજધાની હતી. ત્યારથી, તંજાવુર દક્ષિણ ભારતનું મુખ્ય રાજકીય, સાંસ્કૃતિક અને ઘાર્મિક કેન્દ્રમાંનું એક બની રહ્યું છે.

મહાન બૃહદેશ્વર મંદિર, રાજારાજા ચોલ એ બનાવ્યું હતું, આ મંદિર 1010 એડી (AD)ની આસપાસ પૂર્ણ થયું હતું. તે વર્ષો સુધી ચોલા શાસનકાળનું કેન્દ્ર બની રહ્યું, જેથી રાજ્યની આવકનો પ્રવાહ અનેક નાગરિક યોજનાઓનો પ્રવાહ વહેતો રહ્યો.

શાસકોના દસ્તાવેજોના ભંડાર તરીકે પણ તેણે કાર્ય કર્યું છે, કારણકે મહાન રાજારાજાએ તેની દિવાલો પર અનેક શિલાલેખો બનાવ્યા હતા જેમાં તેના દ્વારા જીતેલા અને તેની વિવિધ દાનવૃત્તિઓની દેણગીને નોંધવામાં આવી હતી. આ શિલાલેખો પરથી તેવી છાપ પડે છે કે આ શહેર એક પૈસાદાર, પ્રગતિશીલ અને સંપૂર્ણપણે મંદિરો દ્વારા પ્રભાવિત શહેર હતું.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :